Anilkumar Rathwa (Sameer) 28 Aug 2025 कविताएँ अन्य શિક્ષણ 15207 0 Gujarati :: ગુજરાતી
શિક્ષણ વિના ઉદ્ધાર નથી, એ સત્ય અખંડ છે, જ્ઞાનના પ્રકાશ વિના જીવન અંધકારમય છે। અજ્ઞાનનો અંધકાર માણસને બાંધી રાખે, શિક્ષણ એ બંધન તોડીને ઉંચે ઉડાડે। ધન-સંપત્તિ ક્ષણિક છે, કાળ સાથે વિસરાય, પણ શિક્ષણ એ ખજાનો છે, જે જીવનભર સાથ આપાય। શિક્ષણથી જ સમજણ આવે, કરુણા જગે હૃદયમાં, માનવતાની સુગંધ ફેલાય, પ્રકાશે દરેક દિશામાં। વિદ્યા વિનાનો ધનિક પણ ગરીબ સમાન, વિદ્વાન ગરીબ પણ બને સમાજનો ગૌરવાન। શિક્ષણ છે દીવો, અજ્ઞાન છે રાત, દીવો જલાવશો તો જ દૂર થશે અંધકારની ઘાટ। શિક્ષણ વિના સમાજ કદી પ્રગતિ ન કરે, શિક્ષણથી જ માનવતા ઊંચી કક્ષાએ ચડે। એટલે— શિક્ષણ વિના ઉદ્ધાર નથી, જીવનનું એ મર્મ છે, જ્ઞાનથી જ મનુષ્ય મહાન બને, એ જ સત્યનું ધર્મ છે।