Anilkumar Rathwa (Sameer) 04 Sep 2025 आलेख अन्य 13133 0 Gujarati :: ગુજરાતી
મનુષ્યના જીવનમાં આશા એ સૌથી મોટું હથિયાર છે. આશા વિના માણસનો પ્રવાસ અધૂરો બની જાય છે. સફળતા પ્રાપ્ત કરવા માટે સૌથી પહેલા મનમાં જીતવાની તીવ્ર ઇચ્છા હોવી જરૂરી છે. જ્યારે મનમાં વિશ્વાસ અને જીતવાની આશા હોય છે ત્યારે જ માણસ મુશ્કેલીઓ સામે લડવાની હિંમત પામે છે. વિપરીત પરિસ્થિતિઓ, નિષ્ફળતા, લોકોના ઉપહાસ – આ બધું તત્કાલિક છે. પરંતુ જે વ્યક્તિ મનમાં હંમેશા જીતવાની આશા રાખે છે, તે કોઈપણ અવરોધ સામે ઝૂકતો નથી. નસીબ અને મહેનત:- ઘણા લોકો માને છે કે જીવનમાં બધું નસીબથી જ મળે છે. પણ હકીકત એ છે કે નસીબ માત્ર એક બહાનું છે. જો નસીબ બદલાય નહીં તો પણ મહેનત માણસનું જીવન બદલી શકે છે. મહેનત કરનારના સપના ક્યારેય અધૂરા રહેતા નથી. 👉 નસીબને બદલી શકાતું નથી, પરંતુ મહેનતથી સમયને બદલાવી શકાય છે. સમયનું ચક્ર:- સમય ક્યારેય એકસરખો નથી રહેતો. દુઃખનાં દિવસો લાંબા લાગતા હોય છે, પણ તે સ્થાયી નથી. જેમ અંધકાર પછી સૂર્યોદય થાય છે, તેમ દુઃખ પછી સુખનો સમય ચોક્કસ આવે છે. એટલે જ કહેવાય છે:- ☆સમય સૌથી મોટો ઉપચારક છે. ☆ખરાબ સમય માણસને મજબૂત બનાવે છે, અને સારો સમય તેને આનંદ આપે છે. આશા – જીવનનો આધાર આશા વગર જીવન નિર્જીવ બની જાય છે. આશા માણસને જીવવાની પ્રેરણા આપે છે. દર્દી આશા રાખે છે કે એક દિવસ તે સ્વસ્થ થશે. ગરીબ આશા રાખે છે કે એક દિવસ મહેનતથી સમૃદ્ધ બનશે. વિદ્યાર્થી આશા રાખે છે કે અભ્યાસથી તે ભવિષ્યમાં સફળ થશે. આશા એટલે જીવંત રહેવાનો આધાર, અને સમય એટલે એ આશાને સાકાર કરવાની શક્તિ. નિષ્કર્ષ -: મનુષ્યએ હંમેશા જીતવાની આશા રાખવી જોઈએ. નસીબ આપણાં હાથમાં નથી, પરંતુ મહેનત અને આશા આપણાં હાથમાં છે. સમય ક્યારેય એકસરખો રહેતો નથી, એટલે મુશ્કેલ દિવસો એક દિવસ પસાર થઈ જ જવાના છે. જે માણસ મનમાં આશાનો દીવો સળગાવીને આગળ વધે છે, એનો સમય ચોક્કસ બદલાય છે અને તેને સફળતા મળતી જ રહે છે.